Posts

Showing posts from July, 2019

'ઈશ્વરની ઓળખાણ'

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભારતીય સંસ્કૃતિનીના આ ચાર અગત્યનાં અંગો. ભારતીય સંસ્કૃતિ એટલે હજારો વર્ષ જૂની આ સંસ્કૃતિ, ને તેની ભવ્યતા પણ ઉડીને આંખે વળગે તેવી. આવી ભવ્ય સંસ્કૃતિના આપણે સંતાનો તેના કર્મો, વચનો ને વિચારોમાં માનનારા આપણે સૌ. આ સંસ્કૃતિ એટલે વેદ-વેદાંતોની સંસ્કૃતિ, રામ ને કૃષ્ણની સંસ્કૃતિ. પ્રાચીન ભારત અને અર્વાચીન ભારત વચ્ચેનો ભેદ આપણે સૌ કોઈ સારી રીતે જાણીએ છીયે. પરંતુ ભારત અને તેની ભારતીયતા સાવ મરી નથી પરવારી, એ દ્વારિકાધીશ નું ભારત હજીયે આપણા સૌ મા ક્યાંક ને કયાંક જીવીત છે. મારુ જીવન ઈશ્વર ચલાવે છે તે વિચારધારામાં માનનારા આપણે સૌ છીયે. પૃથ્વીના આદિ થી લઈને જે પણ ઘટનાઓ, ફેરફારો થયા છે અને આવનાર સમયમાં થવાના છે તે બધું જ ઈશ્વર ઈચ્છા ને આધીન છે.            ઈશ્વરે આપણને બનાવ્યા, પશુ પંખીઓને જીવ આપ્યો, વૃક્ષોને પણ ચેતના આપી. અને આપણને ગીતા દ્વારા કહ્યું પણ ખરું ममैवांशो जीवलोके। દરેક જીવમાં મારો અંશ છે, હું તમારી પૃથ્વીના કણ કણ માં વ્યાપીત છું. આપણને ખબર છે કે તેમની ઈચ્છા વગર પાંદડુંય હલતું નથી તો પછી સવાલ થાય કે આપણે દુઃખી કેમ થઈએ છીએ, પહેલા પ્રભ...